50 ટકા કોટાની મર્યાદા SC-ST અનામતમાં વધારો કરાશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

કર્ણાટકની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા એક મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્યમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC/ST) ની અનામત વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ નિર્ણય જસ્ટિસ એચ.એન. નાગમોહન દાસ કમિશનનો અહેવાલને અનુલક્ષીને લીધો છે. આ અહેવાલમાં SC માટેની અનામતને 15 ટકાથી વધારીને 17 ટકા અને ST માટેની અનામતને 3 ટકાથી વધારીને 7 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ આ જાહેરત કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)ના નેતાઓએ પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, વસ્તીના આધારે SC/ST સમુદાયો માટે આરક્ષણની લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે. ‘જસ્ટિસ નાગમોહન દાસ કમિશનની ભલામણઓ ઉપર આજે સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ અમારી પાર્ટી (BJP)માં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં SC/STના કલ્યાણ માટે અમારી પ્રતિબદ્ધતા જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શનિવારના રોજ કેબિનેટની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં આ અંગે ઔપચારિક નિર્ણય લેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.