![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/russia.png)
રશિયામાં 4 ભારતીય વિધાર્થીઓના નદીમાં ડૂબી જવાથી મોત
રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ પાસે નદીમાં ડૂબી જવાથી ચાર ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. અહીંનું ભારતીય મિશન તેમના મૃતદેહો તેમના પરિવારોને શક્ય તેટલી વહેલી તકે પરત કરવા માટે રશિયન સત્તાવાળાઓના સંપર્કમાં છે. ચારેય વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોડ શહેરમાં સ્થિત નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડીકલનો અભ્યાસ કરતા હતા. તેમાં 18 થી 20 વર્ષની વયના બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે.
આ રીતે બની ઘટના
સ્થાનિક મીડિયા અનુસાર, એક ભારતીય વિદ્યાર્થી વોલ્ખોવ નદીમાં કિનારાથી દૂર જતી રહી અને તે ડૂબવા લાગી તો તેના ચાર મિત્રઓએ તેને બચાવવાનો પ્રયાસ કરવા લાગ્યા. અહેવાલો અનુસાર, તેને બચાવવાના પ્રયાસમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા હતા. જો કે, એક વિધાર્થીને સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
વિદ્યાર્થીની સારવાર ચાલી રહી છે
મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “અમે શક્ય તેટલી વહેલી તકે મૃતદેહો પરિવારોને પરત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” જે વિદ્યાર્થીનો જીવ બચી ગયો તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.
શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે
સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વેલિકીમાં નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા હતા. “શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના,” તેમણે લખ્યું કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, “શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને તમામ શક્ય મદદની ખાતરી આપવામાં આવી છે.”