ભારે વરસાદ વચ્ચે વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા 24 મગર, વન વિભાગે કર્યું રેસ્ક્યુ

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરમાં 27 ઓગસ્ટથી 29 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદીના જળસ્તરમાં વધારો થતાં કુલ 24 મગર પૂરના પાણીમાં ધોવાઈને રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા હતા. મગર રહેણાંક વિસ્તારમાં પહોંચી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, વન વિભાગના કર્મચારીઓએ આ મગરોને બચાવીને વિસ્તારની બહાર કાઢ્યા હતા. વન વિભાગના એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે આ તમામ મગરોને બચાવી લેવામાં આવ્યા છે.

75 પશુઓને બચાવી લેવાયા હતા

વડોદરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર, વિશ્વામિત્રી નદીમાં લગભગ 440 મગરો રહે છે, જેમાંથી ઘણા આજવા ડેમમાંથી પાણી છોડવાને કારણે આવેલા પૂર દરમિયાન રહેણાંક વિસ્તારોમાં ધોવાઈ જાય છે. રાજપૂતે કહ્યું, “આ ત્રણ દિવસ દરમિયાન, 24 મગર ઉપરાંત, અમે સાપ, કોબ્રા, લગભગ 40 કિલો વજનના પાંચ મોટા કાચબા અને એક શાહુડી સહિત 75 અન્ય પ્રાણીઓને પણ બચાવ્યા. વિશ્વામિત્રી નદીની નજીક ઘણા રહેણાંક વિસ્તારો છે.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.