ઝારખંડના ચક્રધરપુરમાં હાવડા મુંબઈ મેઈલના 14 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, 2 લોકોના મોત; 20 ઘાયલ

ગુજરાત
ગુજરાત

ઝારખંડના ચક્રધરપુરમાં મંગળવારે (30 જુલાઈ) ફરી એકવાર ટ્રેન અકસ્માત થયો. આ અકસ્માતમાં ચક્રધરપુર પાસે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. સવારે 3.30 વાગ્યે, CSMT એક્સપ્રેસની ચાર સામાન્ય બોગી સિવાય, અન્ય તમામ બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 2 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મળતી માહિતી મુજબ, આ ટ્રેન દુર્ઘટના રાજખારસ્વન વેસ્ટ આઉટર અને બારાબામ્બુ સ્ટેશનો વચ્ચે સવારે 3.30 વાગ્યે થઈ હતી. રેલવેની મેડિકલ ટીમોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. અકસ્માત બાદ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા – ટાટાનગર: 06572290324 ચક્રધરપુર: 06587 238072 રાઉરકેલા: 06612501072 06612500244 હાવડા: 9433357920 033263827

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.