દેશમાં મેઘરાજનો મેઘતાંડવ, તેલંગાણામાં પુરનાં કારણે 11 લોકોનાં મોત; દિલ્હીમાં આજે ભારે વરસાદની ચેતવણી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના ઘણા ભાગોમાં આ સમયે વરસાદ, પૂર અને ભૂસ્ખલનની તબાહી છે. દિલ્હી-NCRમાં ગઈ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલથી લઈને તેલંગાણા સુધી વરસાદને કારણે તબાહી જોવા મળી રહી છે. મુંબઈમાં પણ વરસાદના કારણે લોકો પરેશાન થઇ ગયા છે. તેલંગાણામાં પૂર અને વરસાદના કારણે 11 લોકોના મોત થયા છે. બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે લોકો ગભરાટમાં જોવા મળ્યો છે.

દિલ્હી-NCRમાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા

જ્યારે દિલ્હી-એનસીઆરમાં વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. દિલ્હી-NCRમાં ગઈ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી. જ્યારે, રાષ્ટ્રીય રાજધાનીમાં આજે પણ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે શનિવારના કારણે મોટાભાગની ઓફિસોમાં રજા રહેશે જેથી લોકોને જામમાંથી રાહત મળી શકશે.

કયા રાજ્યોમાં વરસાદની ચેતવણી

દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં તેલંગાણા, પંજાબ, ગુજરાત અને કર્ણાટકનો સમાવેશ થાય છે. આ સિવાય હવામાન વિભાગે આજે દિલ્હી સહિત 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે રાજ્યોમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે તબાહી

મહારાષ્ટ્રમાં વરસાદના કારણે હાહાકાર મચી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે, 4 જિલ્લાઓ માટે રેડ એલર્ટ અને 10 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી સતત આવું થઈ રહ્યું છે, જેના કારણે લોકો પરેશાન છે.

મુંબઈ, થાણે, પુણે, સાંગલી, સતારા, કોકનપટ્ટા, વિદર્ભ અને મરાઠવાડામાં વરસાદ શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. રાયગઢ, પુણે, રત્નાગીરી અને સતારા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે પાલઘર, થાણે, કોલ્હાપુર, સિંધુદુર્ગ, લાતુર, નાંદેડ, હિંગોલી, યવતમાલ, ચંદ્રપુર, ગઢચિરોલી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તેલંગાણામાં પૂરમાં 11ના મોત

તેલંગાણામાં પૂરનો કહેર યથાવત છે. વરસાદ અને પૂરના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જેમાંથી 8 લોકો મિગુલુ જિલ્લાના છે. છેલ્લા ઘણા દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારો ડૂબી ગયા છે. રેકોર્ડબ્રેક વરસાદને કારણે અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. હાઈવે પર પૂરના પાણી વધી ગયા છે. સ્થિતિ કાબૂ બહાર જતી જણાય છે. રાજ્યમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલન

બીજી તરફ હિમાચલ-ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે લોકો ગભરાટમાં છે. અહીં નેશનલ હાઈવે-5 સહિત અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત વરસાદ પડી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.