સોમનાથ: સોમનાથ મહાદેવને 71મા પ્રજાસત્તાક દિવસે ત્રિરંગાનો શણગાર કરવામાં આવ્યો
દેશના પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવને પ્રજાસત્તાક દિવસે ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો હતો. દેવાધિદેવની એક ઝલક જોવા માટેશ્રદ્ધાળુઓની ભારે ઉમટી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાદેવને ત્રિરંગી શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં 71મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો ત્યારે સોમનાથ મહાદેવ પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.