![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/freepressjournal_2020-05_43d59285-f13d-4116-a95f-7f02d0084928_nirmala_anurag.jpg)
શ્રમિકોને બે મહિના મફ્ત રાશન : ખેડૂતોને ૮૬,૦૦૦ કરોડની લાન
ન્યુ દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આત્મનિર્ભર ભારત નિર્માણ અભિયાન હેઠળ, કોરોના લોકડાઉનમાં જેમને સૌથી વધારે અસર થઇ તે સ્થળાંતર લાખો શ્રમિકો, નાના ખેડૂતો અને શેરીમાં વેચતા ફ્રેરિયાઓ-વેપારીઓ માટે જાહેરાતો કરી હતી.
તેમણે કહ્યું કે, મોદી સરકાર દ્વારા દેશના ૩ કરોડ સિમાંત ખેડૂતોને ૪ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યાં છે. વ્યાજમાં રાહત આપી છે. ૨૫ લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યાં છે. જેમાં ૨૫ હજાર કરોડનું ધિરાણ આપવામાં આવશે. મોદી સરકારે જ ગરીબોની ચિંતા કરી છે. લોકડાઉન લાગૂ થતાં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સહાય આપવામાં આવી હતી. ૨૨ કરોડ ગરીબોને વીમાનું સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.
તેમણે કહ્યું છેલ્લાં ૩ મહિનામાં ૮૬ હજાર કરોડનું ધિરાણ ખેડૂતોને આપવામાં આવ્યું છે. ૬૩ લાખ ખેડૂતોને ધિરાણ મળ્યું છે. માર્ચ ૨૦૨૦માં નાબાર્ડ દ્વારા ખેડૂત સહકારી મંડળીઓને ૨૯૫૦૦ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે. કોરોના લોકડાઉનમાં રાજ્ય સરકારોને ડીઝાસ્ટર ફંડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Tags national