![CORONA](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/Feb27_2020_CDC_Coronavirus.jpg)
દેશમાં ૨૪ કલાકમાં નવા ૩૯૬૭ પોઝિટિવ કેસઃ ૧૦૦ના મોત
ન્યુ દિલ્હી : દેશમાં કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૩૯૬૭થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને ૮૧૯૭૦ સુધી પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે ૧૦૦ લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અત્યાર સુધી કુલ ૨,૬૪૯ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૬૮૫ લોકો કોરોના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થવામાં સફળ રહ્યા છે.
૮૧૯૭૦ કોરોના વાયરસના તમામ કેસ સાથે ભારત દુનિયામાં સૌથી વધારે કોરોના વાયરસના કેસ ધરાવતા દેશોમાં ચીનની નજીક પહોંચી રહ્યો છે. ચીન તરફથી જાહેર કરેલા આંકડા પ્રમાણે ત્યાં ૮૨૯૨૯ કેસ નોંધાઈ ચૂક્્યા છે અને ૪૬૩૩ લોકોના મોત નિપજી ચૂક્્યા છે. જાકે, ચીનમાં અત્યાર સુધીમાં ૭૮૦૦૦થી વધુ લોકો સ્વસ્થ્ય થઈ ચૂક્્યા છે. હવે ચીનમાં ફક્ત ૧૦૧ જ એÂક્ટવ કેસ છે. જ્યારે ભારત કોરોના વાયરસના એÂક્ટવ કેસની સંખ્યા ૪૯૨૧૯ સુધી પહોંચી ગઈ છે.
Tags national