![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/105301banner.png)
દેશમાં અત્યાર સુધી 21,389 કેસ -681મોતઃ કેરળના CM વિજયને મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં 30% કાપ મુકવાની જાહેરાત કરી
નવી દિલ્હી : દેશમાં અત્યાર સુધી કોરોનાના 21,389 કેસ નોંધાયા છે અને 681 લોકોના મોત થયા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 431, રાજસથાનમાં 153, ઉત્તરપ્રદેશમાં 112, ગુજરાતમાં 13 અને તમિલનાડુમાં 33 નવા દર્દી મળ્યા હતા. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેરળના મુખ્યમંત્રી વિજયને મંત્રીઓ, ધારાસભ્યોની સેલેરીમાં 30 ટકા કાપ મુકવાની જાહેરાત કરી છે.
દેશમાં સતત પાંચમાં દિવસે કોરોના વાઇરસના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 1290 દર્દીઓ મળ્યાં. ત્યારપછી સંક્રમિતોની સંખ્યા 21,389 થઈ ગઈ. એક દિવસ પહેલા 1537, 20 એપ્રિલે 1239, 19 એપ્રિલે 1580 અને 18 એપ્રિલે 1371 કોરોનાના પોઝિટિવ દર્દીઓ મળ્યાં