પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં પ્રચંડ ભૂકંપને કારણે ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં પ્રચંડ ભૂકંપને કારણે ચિંતા વ્યક્ત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ ઘડીમાં, ભારત બંને દેશોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે તૈયાર છે.  દક્ષિણપૂર્વ એશિયામાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે થાઈ રાજધાની બેંગકોક અને પડોશી મ્યાનમારમાં ઇમારતો હચમચી ગઈ. લોકોને સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા. પ્રારંભિક અહેવાલો અનુસાર, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અને જર્મનીના ભૂસ્તરશાસ્ત્રીય કેન્દ્રએ જણાવ્યું હતું કે ભૂકંપ બપોરના સમયે 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. તેનું કેન્દ્ર પાડોશી દેશ મ્યાનમાર હતું. આ પછી ૧૨ મિનિટ પછી ૬.૪ ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો.

શક્ય તમામ મદદની જાહેરાત; સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું: ‘મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને પગલે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે હું ચિંતિત છું. હું બધાની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ભારત શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *