મ્યાનમારની ભૂમિ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠી; ૭૨ કલાકમાં ચોથો આંચકો

મ્યાનમારની ભૂમિ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠી; ૭૨ કલાકમાં ચોથો આંચકો

મ્યાનમારની ભૂમિ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠી છે. રવિવારે મ્યાનમારના મંડલે શહેરમાં ૫.૧ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યુએસ જીઓલોજિકલ સર્વે એ આ માહિતી આપી. શુક્રવારના વિનાશક ભૂકંપ પછી દેશમાં આવેલા ભૂકંપની શ્રેણીમાં આ નવીનતમ ભૂકંપ છે. શુક્રવારે શહેર નજીક 7.7 ની તીવ્રતાનો ભૂકંપ  આવ્યો, જેના કારણે ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું. ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૧,૬૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૩,૪૦૦ થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. આ સંખ્યા વધવાની અપેક્ષા છે.

૭૨ કલાકમાં ચોથો આંચકો; મ્યાનમારની ભૂમિ ૭૨ કલાકમાં ચોથી વખત તીવ્ર ભૂકંપથી હચમચી ઉઠી છે. રવિવારે, મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર મંડલે નજીક એક ખૂબ જ શક્તિશાળી ભૂકંપ આવ્યો. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો. આ વખતે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ છે. બચાવ કામગીરી ચાલુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *