વિસનગરના દેણપ ગામેથી તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા વિતરણ અભિયાન શરૂ કરાયું

મહેસાણા
મહેસાણા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાય રહી રહ્યો છે. ત્યારે મારી માટી, મારો દેશ અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રાજયભરમાં ફરી દેશભકિતનો માહોલ ઉભો કરવા માટે યુવા ભાજપ દ્વારા 11થી 13 ઓગષ્ટ દરમિયાન તિરંગા વિતરણ કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ 14મી ઓગસ્ટના રોજ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિસનગર તાલુકાના દેણપ ગામે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા વિતરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ગામમાં ઘરે ઘરે જઈ તિરંગા વિતરણ કરવામાં આવ્યા હતા.મેરી માટી મેરા દેશ અંતર્ગત આગામી સમયમાં દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે વિસનગરના દેણપ ગામે પણ મારી મારી મારો દેશ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર રહી અમૃત વાટિકાનું નિર્માણ કરી શહીદ વિરોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે આ કાર્યકમ અંતર્ગત તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા દેશવાસીઓમાં અનોખી મિશાલ બની રહે તે માટે તાલુકા ભાજપ યુવા મોરચા ટીમ દ્વારા તિરંગા વિતરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.જેમાં ભાજપ યુવા મોરચા ટીમ દ્વારા 11,12 અને 13 ઓગસ્ટ સુધી તિરંગા વિતરણ કરવામાં આવશે. જેમાં આજે દેણપ ગામે ઘરે ઘરે જઈ તિરંગા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સહિત તાલુકા ભાજપ યુવા મોરચાના કાર્યકરો પણ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.