મહેસાણામાં વધુ ૩ પોઝિટીવ, સારવાર દરમ્યાન ૧નું મોત
રખેવાળ ન્યુઝ મહેસાણા : મહેસાણામાં કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા તો એક કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આજે કડીમાં બે અને જોટાણામાં એક મળી કુલ ત્રણ કેસ નવા નોંધાયા છે. આ સાથે વડનગર તાલુકાના ઉણાદ ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આજે ત્રણ કેસ નોંધાતા જીલ્લામાં કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૧૦૯ પહોંચી છે. આ સાથે અત્યાર સુધી ૦૮ દર્દીઓનું અવસાન થયુ છે. મહેસાણા જીલ્લામાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા છે. જેમાં જોટાણાના ગોપાલજીના માઢમાં રહેતા ૪૦ વર્ષીય બીનાબેન રાવલ, કડીની સરકાર સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય હિમાંશુ ખમાર અને કડીના જોબ મંદીર ખાતે રહેતા ૫૫ વર્ષીય હસનઅલી ફકરૂદ્દીન મોગરાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે વડનગર તાલુકાના ઉણાદ ગામના ૬૦ વર્ષીય હરીભાઇ નારણભાઇ રાવલનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા બાદ સારવાર દરમ્યાન સાંઇ ક્રીષ્ણા હોસ્પિટલ ખાતે મોત થયુ છે.
Tags mahesana