ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે અંદાજીત ૧૦૦ વિઘામાં ડુંગળીનું વાવેતર : ૨૦ કિલોના ૪૫૦ રૂપિયા
ગરમીમાં ડુંગળી આરોગ્ય માટે ગુણકારી: ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે દર વર્ષે ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે. ગામમાં અંદાજીત ૧૦૦ વીઘા જેટલા વિસ્તારમાં અલગ અલગ ખેતરોમાં ડુંગળીનું વાવેતર થવા પામ્યું છે. બ્રાહ્મણવાડા ગામના ૫૦ થી વધારે ખેડૂતો ડુંગળીના વાવેતર સાથે જોડાયેલા છે. અહીંની ડુંગળી કડી, વિસનગર, કલોલ, મહેસાણા, અમદાવાદ, સુરત સૂધી જાય છે. ડુંગળીના આ વર્ષ એક મણના ભાવ રૂપિયા ૪૫૦ જોવા મળી રહ્યા છે. આ વર્ષે ડુંગળીનો પાક ઓછો હોવાથી હજુ પણ ભાવ વધશે તેવી ખેડૂતો આશા સેવાઈ રહી છે. બ્રાહ્મણવાડા હાઇવથી પસાર થતાં વાહનચાલકો પણ મોટા પ્રમાણમાં ખરીદી કરે છે.
આ અંગે બ્રાહ્મણવાડા ગામના ખેડુત પટેલ વિષ્ણુભાઇ લલ્લુભાઈએ જણાવ્યું હતું કે, આ વર્ષ ગઇ સાલ કરતાં પાક ઓછો છે. જેની સામે ભાવ રૂપિયા ૪૫૦ છે. પાકનું ઉત્પાદન ઓછુ રહેવાથી પાછળથી ભાવ વધશે તેમ લાગી રહ્યું છે. અમારા ગામમાં ૧૦૦ વીઘા જેટલા વિસ્તારમાં ડુંગળીનું વાવેતર ખેડૂતો કરે છે. ૫૦ જેટલા ખેડૂતો ડુંગળીના વાવેતર સાથે જોડાયેલા છે. અહીની ડુંગળી સૂરત, અમદાવાદ વડોદરા મહેસાણા કડી વિસનગર સહિતનાં વિવિઘ શહેરોમાં જાય છે. ડુંગળી ગરીબના દરેક ઘરે શાકભાજીમાં વપરાય થાય છે એટલે તેને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જાય છે. જ્યારે ડુંગળીના ભાવ માપના હોવાથી ગરીબ વર્ગના લોકો વધુ ઉપયોગ કરે છે. સસ્તી અને આરોગ્ય માટે ગુણકારી છે. ગરમીમાં ડુંગળીનો સલાટ તરીકે વધુ ઉપયોગ થાય છે. ડુંગળીનો વધુ ઉપયોગ કરવાથી આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે.