![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/08-13.jpg)
વિસનગરના એસ.ટી ડેપોમાં મુસાફરોની સલામતી માટે તાર ફેન્સીંગ લગાવવામાં આવી
વિસનગર એસ.ટી ડેપોમાં એક મુખ્ય રસ્તો તથા વચ્ચે એક પગ શેરી વાળો રસ્તો મૂકવામાં આવ્યો હતો. જે રસ્તો બસ સ્ટેશન વચ્ચેથી સીધો બજાર તરફ જતો હતો. જેના કારણે મુસાફરો તથા વિદ્યાર્થીઓ બસ સ્ટેશનના વચ્ચે થઈને તે પગશેરી થઈને અવર જવર કરતા હતા. જેના કારણે અક્સ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. જેના કારણે એસ. ટી ડેપો દ્વારા મુસાફરોની સલામતી માટે તાર ફેન્સીંગ લગાવવામાં આવી છે. આમ અક્સ્માત ન સર્જાય તે માટે એસ.ટી ડેપો દ્વારા કામગીરી કરવામાં આવી છે.
વિસનગર એસ.ટી ડેપોમાંથી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ બજાર તરફ જવા માટે બસ સ્ટેશન વચ્ચે થઈને અવર જવર કરતા હતા. જેમાં વિસનગર ડેપો હાલમાં સૌથી વધુ મુસાફરો ધરાવતો ડેપો છે. જેના કારણે મુસાફરોની વધારો અવરજવર રહેતી હોય છે. જેમાં બસ સ્ટેશન વચ્ચે થઈને અવર જવર કરતા હોવાથી ભૂતકાળમાં નાના મોટા અક્સ્માત ના બનાવો બનેલા છે. જેથી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી બજાર તરફ જવાની પગશેરી ચાલુ રાખી તાર ફેન્સિંગ કરવામાં આવી છે. જે પગશેરીને સીધો મુખ્ય દરવાજા તરફ જોડવામાં આવ્યો છે. જેના કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.