![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/bhufdsbfsbfye-5-14.jpg)
દેશમાં સી-પ્લેનના ૧૬ રૂટમાંથી ધરોઈમાં પણ વૉટર એરોડ્રામ બનશે
મહેસાણા : મહેસાણા જિલ્લામાં આવેલો એકમાત્ર ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતની જીવાદોરી અને વિકાસના દ્વાર સમાન છે. હવે ધરોઈ ડેમ ઉપર વોટર એરોડ્રામ બનવા જઈ રહ્ય્šં છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં સીપ્લેન માટે મંજૂરી આપી દેવાઇ છે. પ્રથમ તબક્કામાં સાબરમતી રીવરફ્રન્ટથી સરદાર સરોવર ડેમ (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સુધી સી પ્લેન શરૂ થશે. ત્યાર બાદ અંબાજી માટે અમદાવાદથી ધરોઇ ડેમ સી પ્લેન ઓપરેટ થશે. સમગ્ર દેશમાં સી પ્લેન હવાઈ સેવા શરૂ કરવા ૧૬ રૂટ પસંદ કરાયા હતા, તે પૈકી ગુજરાતમાં બે રૂટો છે. ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા રાજ્ય સરકારે આ ર્નિણય કર્યો હતો. આ ડેમ હાલમાં ૯૮% ભરાયો છે. ઉત્તર ગુજરાતના ૪ જિલ્લાને પ્રત્યક્ષ રીતે પોષતો હોવાથી ધરોઇ ડેમને આ દરજ્જો મળ્યો છે. આ ડેમમાંથી હાલ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ૧૨ શહેર અને ૭૦૯ ગામ-પરાની લગભગ ૧૭ લાખની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડે છે.
ઉપરાંત જાે ડેમ ૭૫ ટકાથી વધુ ભરાય તો ડેમમાંથી નીકળતી જમણા અને ડાબા કાંઠાની કુલ ૭૩.૫૨ કિલોમીટર લાંબી બે કેનાલો દ્વારા મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાના ૭ તાલુકાના ૧૭૭ ગામની ૯૭ હજાર હેકટર જમીનને સિંચાઇ માટે પાણી મળે છે.
સતત પાણીની આવક રહે તો સાબરમતી, રૂપેણ, સરસ્વતી, પુષ્પાવતી અને બાળગંગા સહિત ૫ નદીઓને જીવંત રાખવાની સાથે ખેરાલુના ચીમનબાઈ સરોવરમાં પણ પાણી ઠાલવી શકાય છે.