ઊંઝા એસ.ટી. નિગમમાંથી એસ.ટી. કંડક્ટરનો વિદાય સન્માન સમારોહ યોજાયો
ઊંઝા એસ.ટી. નિગમમાંથી કંડક્ટરનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં એસ.ટી. નિગમના કર્મચારી તેમજ સ્નેહીજનો હાજર રહ્યા હતા. ઊંઝા એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ઝાવેદ હુશેન નાસીદમિયાં સૈયદ, કંડક્ટર તરીકે પોતાની ફરજ નિભાવીને નિવૃત થતા આજરોજ ઊંઝા એસ.ટી. ડેપોમાં વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ડેપો મેનેજર જલ્પેશ પટેલના અધ્યક્ષતામાં યોજવ્યું હતું. જેમાં જુનિયર આસિસ્ટન્ટ દિનેશજી ઠાકોર, વિભાગીય નિયામક જી.એચ.ગૌસ્વામી, પરિવહન અધિકારી વાય.એન.ચૌધરી, એસ.ટી. ડ્રાઈવર રમેશભાઈ દેસાઈ, કંડક્ટર મથુરજી ઠાકોર સહીત કર્મચારીઓ અને સ્નેહીજનો હાજર રહ્યા હતા.
નિવૃત કર્મચારીને બધા મહેમાનોએ સન્માન કરી પોતાનું પાછળનું જીવન સુખી નીવડે એવા આશીર્વાદ આપ્યા હતા. વય મર્યાદાના કારણે આજે ફરજ બજાવી નિવૃત થયા હતા અને કામગીરીને એસ.ટી. ડેપોના કર્મચારીઓએ બિરદાવી હતી. ઝાવેદ હુશેન નાસીદમિયાં સૈયદે જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમમાં નોકરી કરી કોઈ દિવસે તકલીફ પડી નથી અને બધા કર્મચારીઓ સાથે મળીને ખુબ સરસ નોકરી કરી. નોકરીનો સમયગાળો પૂર્ણ થવાથી આજે ઊંઝા એસ.ટી. ડેપો ખાતે વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ દ્વારા ખુબ જ અતૂટ પ્રેમ મળ્યો હતો અને બધાએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.