![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/01-12.jpg)
કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ-મંત્રી કૈલાશ ચૌધરીએ ગણપત યુનિવર્સિટીની અભ્યાસ મુલાકાત લીધી
ગણપત યુનિવર્સિટીના કૃષિ-વિજ્ઞાન કેન્દ્ર, એગ્રિકલ્ચર ફેકલ્ટીના વિદ્યાર્થીઓના રિસર્ચ પ્રોજેક્ટ્સ, 360 ડિગ્રી સિમ્યુલેટર, પ્રાકૃતિક ખેતીમાં ચૂનંદા ખેડૂતોની સિધ્ધિઓથી કૃષિ-મંત્રીને જ્ઞાત કરાવવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી કૈલાશ ચૌધરીએ ગણપત યુનિવર્સિટીની એક અભ્યાસ-મુલાકાત લીધી હતી. મંત્રી કૈલાશ ચૌધરીએ એમની સાથેની ગોષ્ઠિમાં પ્રાકૃતિક ખેતી વિશેની વિશેષતાઓ જાણી હતી અને સરકારની કેટલીક યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી-માર્ગદર્શન આપી તેનો લાભ લેવા સૂચવ્યું હતું.
ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ એગ્રિકલચર ઍન્ડ એપ્લાઇડ સાયન્સિસના વિદ્યાર્થીઓએ એમના દ્વારા ચાલતા રિસર્ચ અને અન્ય પ્રોજેક્ટ્સથી કૃષિમંત્રીને નિર્દશનો દ્વારા અવગત કર્યા હતા. જેમાં મશરૂમના વેસ્ટમાંથી તૈયાર થતા થ્રી-ડી પ્રિન્ટિંગનું મટીરિયલ, બાયોપેક પેકેજિંગ મટીરિયલ, જૈવિક નિયંત્રણ ખાતર, હાથબનાવટ દ્વારા નિર્મિત કાગળ, એગ્રી-ઍક્સપોર્ટ ડિજિટલ ડેશ-બોર્ડ, શેવાળમાંથી બનતું પશુદાણ વગેરે નિદર્શનોનો સમાવેશ થતો હતો. ગણપત યુનિવર્સિટીના કૃષિ-વિજ્ઞાન કેન્દ્ર ઉપરાંત યુનિવર્સિટીએ ખાસ વિક્સાવેલું મિયાવાકી માઈક્રો-ફૉરેસ્ટ, પંચક્રિયા, 360 ડિગ્રી સિમ્યુલેટર, (મરીન એન્જિ.ના વિદ્યાર્થીઓ માટે) તેમજ યુનિવર્સિટીના વિવિધ ગ્રીન-પ્રોજેક્ટ્સ વિશે પણ કૃષિમંત્રીને જ્ઞાત કરાયા હતા.