મહેસાણાનજીક વડનગરમાં વીજળી પડતા બે ગાયના મોત
મહેસાણા જિલ્લામાં વડનગર તાલુકામાં સાંજ દરમિયાન એકાએક વાતવાતમાં પલટો આવતા ઠંડક પ્રસરી હતી. તેમજ ગાજવીજ સાથે વરસાદ પણ વર્ષયો હતો. ત્યારે વરસાદી માહોલમાં વડનગરના અમરથોળ વિસ્તારમાં એકાએક વીજળી પડતા બે ગાયોના મોત નિપજ્યા હતા. એક જ પશુ પાલકની બે ગાયના મોતથી પરિવાર દુઃખી બન્યો હતો.