![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/20-9.jpg)
ઉનાવા ગામમાં જવેલર્સની દુકાનમાં સોના-ચાંદીના દાગીનાની ચોરી
ઊંઝા તાલુકાના ઉનાવા ગામમાં નાયકવાસની બાજુમાં બ્રહ્માણી વાડીની બાજુમાં ભાડાથી સાંચલ જવેલર્સની દુકાન ચલાવે છે. જે દુકાનમાં સોના-ચાંદીના દાગીનાનો વેપાર કરી રહ્યા છે. ગતરાત્રિ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમો આવી દુકાનનું તાળું તોડીને અંદર પ્રવેશ કરી ચોરોએ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં સાંચલ જવેલર્સની દુકાનમાંથી અલગ અલગ પ્રકારના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી.ગુન્હો દાખલ કરી પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.