વિસનગરના તિરૂપતિ નેચરલ પાર્કમાં વૃક્ષારોપણ કરી મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી કરાઇ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ઇયાસરા ગામ ખાતે આવેલા તિરૂપતિ નેચરલ પાર્ક ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 62મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તેમજ પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલ દ્વારા વિવિધ 62 રોપાની વાવણી કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પર્યાવરણના જતન સાથે મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી તેમજ તેમના પુત્રના સારા સ્વાસ્થ્ય માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

પર્યાવરણના જતન માટે કાર્ય કરતા ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા દરેક નાના મોટા પ્રસંગે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 62મા જન્મદિવસ નિમિતે ગ્રીન એમ્બેસેડર દ્વારા વૃક્ષારોપણ કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જેમાં 62મા જન્મદિવસ નિમિત્તે ઇયાસરા ખાતે આવેલ તિરૂપતિ નેચરલ પાર્કમાં 62 વિવિધ રોપાની વાવણી કરવામાં આવી હતી. જેમાં આ પ્રસંગે જીતુભાઈ પટેલ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના મુખ્યમંત્રીના પુત્ર અનુજ જલદીથી સંપૂર્ણ સ્વસ્થ બની પોતાના પરિવાર સાથે મિલન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

આજે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62 મો જન્મદિવસ હોવાથી એમના સ્વાસ્થ્ય માટે અને ગુજરાતની જે સેવા કરે છે. એનાથી પણ સારી સેવા કરે એવી ભાવના સાથે આજે આપણે એમની યાદમાં અને એમના દીર્ઘ સ્વાસ્થ્ય માટે 100 વર્ષ સુધી જીવે અને સ્વાસ્થ્ય જીવે અને એમનો પુત્ર પણ ગંભીર સ્ટેજમાંથી બહાર નીકળ્યા છે. વહેલામાં વહેલા એમની સાથે રહેતા કરી દે મુખ્યમંત્રીના જન્મ દિવસ નિમિત્તે આજે વૃક્ષારોપણ કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.