વિસનગરના ગોઠવા ગામે મંદિરમાં ચાંદીના 6 છત્તરની ચોરી કરી તસ્કરો ફરાર

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ગોઠવા ગામે દેવીપુજક મહોલ્લામાં આવેલ શિહોરી માતાના બંધ મંદિરમાં અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કરી મંદિરમાં રહેલા રૂ. 74 હજાર કિંમતના 6 ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ જતા આ બનાવ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.વિસનગર તાલુકાના ગોઠવાના શિહોરી માતાના મંદિરની બાજુમાં રહેતા દશરથભાઈ ગણેશભાઈ દેવીપુજક મહોલ્લામાં આવેલા શિહોરી માતાના મંદિરમાં સવાર-સાંજ આરતી કરે છે. તેઓ ગતરોજ સાંજના સમયે મહોલ્લામાં આવેલા શિહોરી માતાના મંદિરમાં આરતી કરવા જતા મંદિરમાં માતાજીના ફોટા પર તેમજ મંદિરમાં સત્તર દેખાયેલા ન હતા.જેથી આ અંગેની જાણ સમાજના આગેવાનોને કરતા આગેવાનોએ આવી તપાસ કરતા ચાંદીના 6 સત્તરની મંદિરમાંથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આજુબાજુ તપાસ કરતા કોઈ ભાળ મળી આવી ન હતી. નાનામોટા ચાંદીના છત્તર કિંમત રૂ. 74 હજારની ચોરી થયાની જાણ થતા અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગતરોજ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.