વિસનગરમાં દિવાળીના તહેવારોને લઈ આગ કે અકસ્માતના બનાવ સામે તાત્કાલિક સેવા આપવા સજજ
વિસનગરમાં દિવાળીના તહેવારોને લઈ ફાયર ટીમે આગોતરા આયોજન કરી સજજ બની છે. જેમાં આગ કે અકસ્માત જેવા બનાવો સામે ત્વરિત સેવા આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાયર વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે વિસનગર ફાયરની ટીમ દિવાળીના તહેવારોમાં 24 કલાક તૈનાત રાખવામાં આવશે. જેમાં વિસનગર ફાયર સ્ટેશન ખાતે ત્રણ ફાયર ફાયટર સાથે ત્રણ ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેમાં દિવાળીના તહેવારોમાં કોઈ આગ કે અકસ્માતનો બનાવ બને તો એના માટે નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારોને પગલે વિસનગર ફાયર સ્ટેશન સજ્જ બન્યું છે. જેમાં દિવાળીના તહેવારોમાં આગ કે અકસ્માત જેવી ઘટના બને તો તેને તાત્કાલિક સેવા આપવા માટે ફાયર વિભાગ વિસનગર દ્વારા ત્રણ ફાયર ફાયટર, અગ્નિશામક સાધનો સાથે ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં આ ત્રણેય ટીમો તારીખ 09/11/2023થી 15/11/2023 સુધી સતત 24 કલાક ફાયર સ્ટેશન ખાતે તૈનાત રહેશે. કોઈ આકસ્મિક બનાવ બને તો ફાયર સ્ટેશનના નંબર 02765 235101 અથવા 101 નંબર પર પણ કોલ કરી જાણ કરી શકો છો. તેવું ફાયર ઇન્સ્પેક્ટર જયેશભાઈએ જણાવ્યું હતું.