![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/15-9.jpg)
બ્રાહ્મણવાડા ગામથી નરેન્દ્ર મોદીના નવ વર્ષના કાર્યની લોકજાગૃતિ માટે પ્રચાર રથનું પ્રસ્થાન
લોકજાગૃતિ માટે “પ્રચાર રથ” મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ શ્યામ દેસાઈ અને પ્રદેશ મોરચાના તથા જિલ્લા મોરચાના હોદ્દેદારો, ઊંઝા વિધાનસભા વિસ્તારના તથા જિલ્લાના સૌ કોઈ હોદ્દેદારો અને પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં પ્રચાર રથનું પ્રસ્થાન બ્રાહ્મણવાડા ગામથી થયું. ઊંઝા ખાતે શ્રી સરદાર પટેલ સાહેબની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી રથનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમ ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન પટેલ, ઊંઝા apmc ચેરમેન દિનેશભાઇ પટેલ અને ઊંઝા ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ બ્રાહ્મણવાડા ગામમાંથી રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. બ્રાહ્મણવાડા ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ગામ લોકોને નવ વર્ષમાં કરેલા વિકાસ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પ્રચાર રથનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું.