ઊંઝાના સિંહીં ગામની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં

મહેસાણા
મહેસાણા

ઊંઝાના સિંહીં ગામની આંગણવાડી કેન્દ્ર નંબર એકમાં જર્જરિત મકાન હોવાથી જાનહાની થવાની સંભાવના તેમજ ગટરોને લઈને પરેશાન થઇ રહ્યા છે. ઊંઝા તાલુકાના સિંહીં ગામમાં આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરવા જતા નાના બાળકોને મોટી મુશ્કેલીઓ સર્જાઈ છે. આંગણવાડી કેન્દ્ર નંબર એકનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી નાના બાળકો જોખમીભર્યું ભણતર કરી રહ્યાં છે. જર્જરિત મકાનના રીપેરીંગ કામ માટે પણ પંચાયતમાં સ્થાનિક લોકોએ માગ કરી છે પણ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. તેમજ આંગણવાડી આજુબાજુમાં ગટરો ઉભરાય છે જેને લઈને નાના બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરવા જઈ શકતા નથી.ચોમાસા જેવી ઋતુમાં ગટરોના પાણી ભરાઈ રહે છે જેને લઈને ઘાસ થઇ ગયું છે અને અંદર ઝેરી જીવજંતુ આવે છે જે કરડવાનો ભય રહેલો છે. સ્થાનિક લોકોએ સિંહીં ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરી છે, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી. આ આંગણવાડી કેન્દ્ર નંબર એકનું મકાન જર્જરિત હાલતમાં છે તેમજ આજુબાજુ ગટરોનો ઉપદ્રવ હોવાથી રોગચાળો ફેલાઈ રહ્યો છે. સ્થાનિકો બીમારીનો ભોગ બની રહ્યા છે. તેમજ નાના બાળકોને ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે. આ પાણીના નિકાલ માટે મુખ્યલાઈન હોવાથી વધુ પાણીનો આવરો રહેલો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, તાત્કાલિક ધોરણે ગટરનું કામકાજ કરી બાળકો અભ્યાસ કરવા જઈ શકે એ માટે નિકાલ કરવામાં આવે અને આંગણવાડીનું મકાન જે જર્જરિત હાલતમાં છે એ રીપેરીંગ કરવામાં આવે જેવી રજૂઆતો કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.