વિસનગરમાં હોસ્પિટલોમાં કન્જક્ટિવાઈટિસના રોજના 300થી વધુ કેસ નોંધાયા

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસોમાં વધારો જોવામાં મળી રહી છે. જેમાં વિસનગરમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં મળી રોજના 300થી વધુ દર્દીઓ નોંધાય છે જેને લઇ પરિસ્થિતિ ચિંતાજનક છે.વિસનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કન્જક્ટિવાઈટિસના કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં આંખમાં નાખવાના ટીપાની વ્યવસ્થા કરી છે. એક ટીમ બનાવી શાળાઓમાં પણ કન્જક્ટિવાઈટિસના સામે સાવચેતીના પગલાં અંગેની સમજણ આપવામાં આવી રહી છે.વિસનગરમાં કન્જક્ટિવાઈટિસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. જેમાં વિસનગરની સિવિલ હોસ્પિટલ અને જ્યોતિ આંખની હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પીટલ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર મળી રોજના 300થી વધુ કેસો જોવા મળે છે. જેમાં સિવિલ હોસ્પિટલોમાં તો દર્દીઓની લાઇન જોવા મળે છે. નાના બાળકોની સાથે વૃદ્ધ વ્યક્તિઓને પણ આ વાયરસની અસર જોવા મળી રહી છે. જેને લઇ વિસનગર તાલુકા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.ચેપજન્ય રોગ હોવાથી બાળકોને પણ મોટી સંખ્યામાં આ રોગ થતો હોવાથી વાલીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. એવામાં આરોગ્ય વિભાગ દ્વારા એક ટીમ બનાવી શાળાઓમાં કન્જક્ટિવાઈટિસના અંગે સાવચેતીના પગલાં માટેની તાલીમ આપવામાં આવી રહી છે.છેલ્લા એક અઠવાડિયામાં અંદાજે 2200થી વધુ કેસો નોંધાયા આ અંગે વિસનગરની ખ્યાતનામ જ્યોતિ હોસ્પિટલના ડોક્ટર વિતાન જોષીએ જણાવ્યું હતું કે, અત્યારે આ કન્જક્ટિવાઈટિસના રોગ બહુ ફેલાયેલો છે. ચોમાસામાં દર વર્ષે આ રોગ થાય જ છે. અમારી હોસ્પિટલમાં દરરોજની 300થી 400ની ઓપીડી હોય છે. તેમાંથી 100 જેવા દર્દીઓ તો આવા જ હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.