વિસનગરમાં પ્રથમ નવરાત્રિ પર હેરિટેજ ટાઉનશિપ અને શિર્ડીનગર સોસાયટીમાં આયોજન

મહેસાણા
મહેસાણા

નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય. નવરાત્રિ એક એવુ પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે. નવરાત્રિમાં નવ દિવસ સુધી આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની એક વૈદિક પરંપરા છે. ત્યારે વિસનગરમાં પણ પ્રથમ નવરાત્રી પર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કડા ચોકડી પર હેરિટેજ ટાઉનશિપ અને શિર્ડીનગર સોસાયટીમાં નવરાત્રિનું આયોજન કરાયું હતું.


કડા ચોકડી પર આદ્યશકિત માઁ અંબાની આરાધના કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના સભ્યો જોડાયા હતા. આ નવરાત્રિ મહોત્સવમાં સોસાયટીમાં નવ દિવસ અલગ અલગ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માઁની આરતી કરી અને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના નાના ભૂલકાઓ સહિત મોટા લોકો પણ મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.