PMના પોગ્રામને લઈ ડબોડામાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ : વીજ કર્મીઓએ આખુ વીજ સ્ટેશન ઉભું કર્યું
મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવવાન હોવથી સભાના સ્થળ નજીકમા જ કામ ચલાઉ વીજ સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે.ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીના ઇજનેરો અને કર્મચારીઓ આ કામગીરીમા જોતરાયા છે.વડાપ્રધાન ની સભામાં વીજ પુરવઠો ન ખોરવાય તે માટે પૂરી તકેદારી રાખવામાં આવશે.આગામી 30 મીના રોજ વહેલી સવારે જ ઉત્તર ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ ડભોડામાં ઉપસ્થિત રહેશે અને કર્મચારીઓ ની ટીમોને માર્ગદર્શન પૂરું પાડસે.વડાપ્રધાનના આગમન સમયે વ્યવસ્થામા કોઈ ખામી ન સર્જાય તે માટે તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે.અને તેમાં કોઈ ચૂક ન થાય તે માટે કલેક્ટર,ડીડીઓ,અને પ્રાંત અધિકારીઓ માર્ગદર્શન આપી રહ્યા છે.
જોકે પૂર્વ તૈયારીઓ માટે નું આ એક મહાઅભિયાન છે.1 લાખથી વધુ જનમેદની ગરમીથી પરેશાન ન થાય તે માટે પણ વીજ કંપની દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.ત્યારે સાંસદો અને ધારાસભ્યઓ તેમજ સંગઠનના હોદેદારો ના પણ ખેરાલુ માં આંટા ફેરા વધી રહ્યા છે.ત્યારે હાલમાં જેસીબી,ટ્રેકટર સહિતના સાધનો અને મોટી સંખ્યામાં વીજ કર્મીઓ વીજ પુરવઠા માટે સતત કામગીરી કરી રહ્યા છે.જ્યાં 6 થી વધુ નવી ડીપી નાખવામાં આવી છે.