ઊંઝામાં માગસર સુદ-8ના દિવસે મા ઉમિયાને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

મહેસાણા
મહેસાણા

ઊંઝા ખાતે બિરાજમાન કડવા પાટીદારોની કુળદેવી અને જગતજનની મા ઉમિયાના આંગણે સંવત 2033માં 18મી શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. પાટીદાર સમાજમાં સામાજિક ક્રાંતીના બીજ જેમાં રોપાયા એવા મહોત્સવમાં લાખો ભક્તો મા ઉમિયાના દર્શન માટે ઊંઝા પધાર્યા હતા. ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝા દ્વારા આવો મહોત્સવ સૌ પ્રથમ થયો હોવાથી ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. દેશ-વિદેશમાં વસતા પાટીદારો અને શ્રધ્ધાળુઓ આ મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા હતા. ઉમિયા માતાજી મંદિરના સંવત 2033માં યોજાયેલ 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરીરૂપે પરંપરા મુજબ દર વર્ષે માગશર સુદ-8ના દિવસે ઉમિયા માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે છે.


આજે માગશર સુદ-8 હોઈ ઊંઝા ઉમિયા માતાજી મંદિર ખાતે સવારે 10:15 કલાકે મંદિર પરિક્રમા કરી, સવારે 11-00 કલાકે માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પૂજા વિધિ બાદ આરતી કરવામાં આવી હતી. અન્નકુટની મીઠાઈ જય હિન્દ સ્વીટ – અમદાવાદ તરફથી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાન-ઊંઝાના પ્રમુખ બાબુ પટેલ અને મંત્રી દિલીપ નેતાજી તેમજ અન્ય હોદેદારો, ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, દાતા ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કમિટીના ચેરમેન, સંગઠનના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં દૂરદૂરથી મા ઉમિયાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મા ઉમિયા ભક્તોએ આજે અન્નકૂટ અને મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને જૂની યાદોને તાજી કરી હતી. બપોરે 03:00 કલાકથી અન્નકુટ મહાપ્રસાદ સૌભક્તોને વહેંચવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.