મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પથ્થર મારો

મહેસાણા
મહેસાણા

ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે થવાની છે. જેને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે, ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રવિવારે અને આવતીકાલે સોમવારે શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે સવારથી વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.  ત્યારે મહેસાણાના ખેરાલુંમાં ભગવાન રામની યાત્રામાં પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે.

મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વિવિધ ધાબા પરથી આ તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 10 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેના બાદ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.