વિસનગરથી 14 વર્ષીય સગીરાને ભગાડી જનાર આરોપીને મહેસાણા એસઓજીએ રાધનપુરથી ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં લગ્નની લાલચો આપી સગીરાઓને ભગાડી જવાના કેસો સતત વિવિધ પોલીસ ચોપડે નોંધાતા રહ્યા છે.ત્યારે આવા કેસમાં આરોપીઓને શોધી પાડવા મહેસાણા એસઓજી ટીમ સતત વોચ રાખી ભોગબનનાર અને ભગાડી જનાર આરોપીને ઝડપવા સતત કાર્યશીલ હોય છે.ત્યારે આવા જ એક કેસમાં વિસનગર શહેર માંથી સગીરા ને ભગાડી જનાર આરોપીને એસઓજી ટીમે રાધનપુર પંથક માંથી ઝડપી લીધો હતો.

મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર પંથકમાં 14 વર્ષની સગીરાને 20 વર્ષનો ઉનાવા ખાતે રહેતો રાવળ સુનિલ ભગાડી ગયો હતો. સમગ્ર કેસમાં સગીરાના માતા પિતાએ વિસનગર શહેર પોલીસમાં અપહરણ તેમજ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કેસમાં આરોપી દ્વારા સગીરાને છેલ્લા એક માસથી અલગ અલગ જગ્યા પર લઈ જઈ નાસ્તો ફરતો હતો.સમગ્ર કેસમાં મહેસાણા એસઓજી ટીમના પો.કો દિગ્વિજય સિંહ તથા વિશ્વનાથ સિંહને ટેક્નિલ,સર્વેલન્સ તેમજ ખાનગી બાતમીદારો આધારે બાતમી મળી હતી કે, આ કેસનો આરોપી હાલમાં રાધનપુર તાલુકામાં આવેલા કમાલપુર ગામે એક દુકાનમાં નોકરી કરે છે બાતમી મળતા જ ટીમો રાધનપુર દોડી જઈ આરોપી અને ભોગબનનાર સગીરાને પકડી પાડયા હતા.સમગ્ર કેસમાં હાલમાં બંને વધુ તપાસ માટે વિસનગર શહેર પોલીસમાં સોંપવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.