વિસનગરમાં કાંસા ચોકડીથી મામલતદાર કચેરી રેલી કાઢી આવેદનપત્ર અપાયું

મહેસાણા
મહેસાણા

રાજસ્થાન સ્થિત રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હિચકારી હત્યા કરવામાં આવી હતી. જેના જવાબદાર આરોપીને પકડી સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માગ સાથે વિસનગરમાં કાંસા ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપી મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં હત્યારાઓને ફાંસી દો જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.


વિસનગરમાં ગુજરાત ક્ષત્રિય સભા, ક્ષત્રિય યુવક સંઘ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, શ્રી વિસનગર રાજપૂત સમાજ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા વિસનગરના સર્વે સમાજના સંગઠનો દ્વારા કાંસા ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મામલતદારને આવેદનપત્ર આપી સ્વ.સુખદેવસિંહ ગોગામેડીના આરોપીને સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. જેમાં સુખદેવસિંહ અમર રહો, હત્યારોઓને ફાંસીની સજા આપો તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.