વિસનગરના સાર્વજનિક સ્મશાનગૃહમાં કાળી ચૌદશે ઉજવણી કરાશે
વિસનગર શહેરમાં અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક સ્મશાનમાં કાળી ચૌદશે અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં કાળી ચૌદશના રાત્રે સ્મશાનમાં જવા માટે લોકો ડરતા હોય છે જેથી વિસનગરમાં આ ડરને દૂર કરવા માટે સાર્વજનિક સ્મશાનગૃહમાં શાંતિ પ્રાર્થના સાથે શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભવ્ય આતશબાજી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં સાર્વજનિક સ્મશાન ગૃહમાં 656 જેટલા મૃતકોના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે.દર વર્ષે અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા સંચાલિત સાર્વજનિક સ્મશાનગૃહમાં દીપાવલી દરમિયાન કાળી ચૌદશની રાત્રે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે પણ તારીખ 11/11/2023ને શનિવારના રોજ રાત્રે 8:30 કલાકથી સ્મશાનગૃહ સ્થળે દર્શન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોશની, ભવ્ય આતશબાજી સહિત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગત દિવાળીથી આ દિવાળી સુધી 656 જેટલા મૃતકોના અગ્નિ સંસ્કાર થયા છે. જેમાં તમામ આત્માઓના માટે શાંતિ પ્રાર્થનાનું આયોજન પણ કરવામાં આવશે. જેમાં તમામ પરિવારવારોને પ્રાર્થના કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ અંગે અંતિમ વિસામો ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં જવાનો ડર હોય છે. જેથી અમે સ્મશાનગૃહમાં આયોજન કરવાથી 8થી 10 હજાર લોકો આ મેળામાં ઉમટી પડ્યા હતા. જેમાં આ વર્ષે જેમના દેહાંત થયા હોય એમના માટે શ્રદ્ધાંજલિ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય આતશબાજી સહિત મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.