વિસનગરના આથમણા ઠાકોરવાસમાં મોડી રાત સુધી ખેલૈયાઓની ગરબાની રમઝટ જામી
વિસનગરમાં આવેલા આથમણા ઠાકોરવાસમાં જોગમાયા યુવક મંડળ દ્વારા છેલ્લા ચાર વર્ષથી નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવે છે. જેમાં આથમણા ઠાકોરવાસમાં સમસ્ત ઠાકોર સમાજના લોકો પરંપરાગત રીતે ગરબા કરે છે. જેમાં ગ્રામીણ ગરબાના દર્શન થાય છે. પાર્ટી પ્લોટ ગરબા કરતા અલગ જ પ્રકારના ગરબા જોવા મળે છે. જેમાં તમામ ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
નવરાત્રીના અંતિમ દિવસે આથમણા ઠાકોરવાસમાં ખેલૈયાઓએ મોજ માણી હતી. જેમાં જોગમાયા યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર દ્વારા વિવિધ કાર્યકમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પહેલા દિવસથી જ તમામ ખેલૈયાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં ઠાકોર સમાજની યુવતીઓએ અને મહિલાઓએ પ્રાચીન કાળથી ચાલી આવતી સમાજની પરંપરાને જાળવી રાખી હતી. મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ માણી હતી.