ઊંઝામાં છેલ્લા પંદર દિવસથી નેશનલ હાઇવેની બાજુમાં ડ્રેનેજ તૂટી જતાં પણ કોઈ કાર્યવાહી નહીં

મહેસાણા
મહેસાણા

ઊંઝા નજીક નેશનલ હાઇવેની બાજુમાં ટૂંક સમય પહેલાં જ બનાવેલો ડ્રેનેજ તૂટી ગયો છે. જાનહાનિ થવાની સંભાવના વચ્ચે છેલ્લા પંદર દિવસથી ડ્રેનેજ તૂટી હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઊંઝા નજીક નેશનલ હાઇવેની બાજુમાં બનાવેલ ડ્રેનેજ તૂટી પડવાથી જાનહાની થવાની સંભાવના સેવાઈ રહી છે.

છેલ્લા ઘણા દિવસથી ડ્રેનેજ તૂટી હોવા છતાં પણ તંત્ર ગોર નિંદ્રામાં છે. ઘણા દિવસો વીત્યા પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી, જેને લઈને સ્થાનિક લોકોએ તંત્ર ઉપર સવાલો ઉઠાવ્યાં છે કે હજુ રોડ બનાવ્યાં તેને થોડો પણ સમય વીત્યો નથી અને ડ્રેનેજ તૂટી ગઈ છે તો કોણ જવાબદાર?. શું તંત્ર જાનહાનિ થાય એની રાહ જોઈને બેઠું છે કે પછી કોન્ટેક્ટરો તેમજ તંત્રની મનમાની ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.