ઊંઝામાં સસ્તા અનાજની દુકાનમાં મળતું અનાજ લોકોના ઘરે જઈ વેપારીઓ ખરીદી કરી બારોબાર વેચી મારે

મહેસાણા
મહેસાણા

ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં દિનદયાળ પંડિત સરકારી સસ્તા અનાજની દુકાનમાં મળતું સસ્તું અનાજ લોકોના ઘરે જઈને વેપારીઓ ખરીદી કરી બારોબાર વેચી મારે છે.ઊંઝા તાલુકાના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી અનાજની દુકાનોમાંથી આપવામાં આવતું અનાજ લોકો બારોબાર વેચી મારે છે. જેનો એક જાગૃત નાગરિકે વીડિયો ઉતારી લીધો હતો. જે વીડિયોમાં સસ્તું અનાજ લઈને કિલો ઘઉંનો શુ ભાવ આપે છે? કિલો ચોખાનો શુ ભાવ આપે છે? એ વીડયોમાં જોવા મળી રહ્યો છે.


તેમજ ઊંઝા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વેપારીઓ આવીને સરકારી અનાજનો જથ્થો ઉઘરાવીને સસ્તા ભાવે લોકો પાસેથી લઇ જાય છે. જે સરકારી અનાજનો જથ્થો મોટા વેપારીઓની દુકાને પહોંચાડવામાં આવી રહ્યો છે. તેમજ ઇડર તરફથી વેપારીઓ સિધ્ધપુર તરફથી વેપારીઓ અને વડનગર તરફથી વેપારીઓ નાના મોટા વાહનો લઈને આવીને મહોલ્લામાં ફરીને અનાજ ઉઘરાવી લઈ જાય છે.આ બાબતે ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં ફેરી કરીને સરકારી અનાજનો જથ્થો લઈ જઈને ઊંચા ભાવે વેચી મારે છે. એ તમામ ફેરિયાઓ ઉપર અને લેવેચ કરવા ઉપર તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં એ લોક મુખે ચર્ચાનો વિષય બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.