મહેસાણા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ લાવવા તાકીદ કરવામાં આવી
જિલ્લા કલેક્ટર એમબનાગરાજનના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.મહેસાણા જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ અંગે કલેક્ટર એમ નાગરાજને સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.સાસંદ સભ્ય તેમજ ધારાસભ્ય સર્વે દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ અને પડતર પ્રશ્નોનો સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે વિકાસલક્ષી કામો ઝડપથી શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અનુરોધ કર્યો હતો.
સંકલન બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકે જણાવ્યું હતુ કે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાઈ છે જે મહેસાણા જિલ્લામાં નાગરિકો સ્વચ્છતાગ્રહી બન્યા છે.મહેસાણા જિલ્લામાં આગામી 2 મહિના સુધી આ અભિયાનને લંબાવીને સમગ્ર જિલ્લાને સ્વચ્છ, નિર્મળ અને સુઘડ બનાવવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સફાઈ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા જનભાગીદારી થકી ઠેર ઠેર સફાઈ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે .જે અંતર્ગત આગામી સમયમાં થીમ વાઇઝ થનારા કાર્યક્રમોની માહિતી અધિકારીઓ અને પદાધિકારીઓને આપી હતી