ઊંઝા APMCના સહયોગથી ભોજનાલય ખાતે રૂ.80 બજાર કિંમતની ચણાદાળનું રૂ. 60માં વેચાણ કરવામાં આવ્યું

મહેસાણા
મહેસાણા

ઊંઝા APMCના સહયોગથી અવારનવાર સસ્તા ભવામાં સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તેમજ શિક્ષણને લગતા કાર્યમાં APMC ઊંઝા દ્વરા રાહતદરે ચોપડા આપવામાં આવે છે. તેમજ આકસ્મિક મૃત્યુ થયુ હોય તો પણ આકસ્મિક વીમો પાસ કરવામાં આવે છે.


ઉપરાંત ઊંઝા APMCના સહયોગથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે હાલમાં ચાલી રહેલા તહેવારોને લઈને ઊંઝા APMC દ્વવારા આપણા સ્થાનિક બજારમાં કિલોના 80/- રૂ. થી વધુના ભાવે વેચાતી ચણા દાળ ઊંઝા APMCના સહયોગથી ભારત બ્રાન્ડની ચણા દાળ ફક્ત રૂ. 60/- માં ઊંઝા APMCના ભોજનાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની હાજરીમાં આશરે 2500 કિલો ચણા દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમા ઊંઝા APMC ચેરમેન દિનેશ પટેલ સહીત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ચણાદાળ લેવા માટે સ્થાનિક લોકો લાઈનમાં ઉભા રહી દાળ ખરીદી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.