ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં એક યુવકનું અવાવરું કુવામાં પડવાથી મોત

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં રાજપૂત સમાજના યુવક બે દિવસ અગાઉ ઘરેથી નીકળી ગયેલ હતો. જેમાં પરિવારે શોધખોળ કરી હતી.પરંતુ મળી આવેલ નહીં. જેમાં આજરોજ વહેલી સવારે ભુણાવ અને દાસજ સીમ વિસ્તારમાં આવેલ કુવામાંથી રાજપૂત કીર્તિસિંહની લાશ મળી આવી હતી. જેમાં પરિવારજનોને ખબર પડતા પરિવારજનો ઉપર દુઃખનુ આભ ફાટ્યું હતું.ભુણાવ ગામમાં આ ઘટના બાબતે ખબર પડતા ગામલોકો ઘટનાની જગ્યાએ જોવા ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ ભુણાવ ગ્રામજનો દ્વવારા ઊંઝા ફાયરબ્રિગેડ તેમજ પોલિસને જાણ કરતા જગ્યાએ આવી અવાવરુ કુવામાંથી મૃત યુવકને ભારે જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. વધુમાં ઊંઝા પોલીસે આવી ગ્રામજનોના જવાબો લીધા હતા તેમજ પરિવારજનોને વધુ કાર્યવાહી કરી લાશ સોંપવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક છેલ્લા બે દિવસ અગાઉ ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો. તેમજ માનસિક બીમારીનો ભોગ બનેલો હતો જેને લઈને આ પગલું ભર્યું હોવાનુ ખુલ્યું હતું. જેમાં પોલીસે ભુણાવ ગ્રામજનોને બોલાવી જવાબો લીધા હતા અને ફાયર બ્રિગડની ટીમે આવી લાશ બહાર કાઢીને પરિવારજનોને સોંપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.