વિસનગરમાં નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા કાર્યકમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સફાઈ કરી

મહેસાણા
મહેસાણા

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતગર્ત રાજ્ય કક્ષાએ નક્કી કરેલી વિવિધ પ્રવુતિઓના ભાગરૂપે રાજ્યભરમાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં સઘન સ્વચ્છતા અભિયાન પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે વિસનગરમાં પણ નગરપાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાનમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જોડાયા હતા. જેમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નગરપાલિકાના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ સાથે સફાઈ કરી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. જે આ સફાઈ અભિયાન અંતગર્ત વિવિધ જગ્યાએ સફાઈ કરવામાં આવશે.


સ્વચ્છતા એજ સેવા અભિયાન અંતર્ગત વિસનગર નગરપાલિકા દ્વારા તારીખ 15-10-2023થી 16-12-2023 સુધી સફાઈ ઝુંબેશ અંતર્ગત સઘન સફાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગર શહેરમાં આવેલ હરિહર સેવા મંડળ મંદિર સામે સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યકમમાં વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા અને સ્વચ્છતા એજ સેવા અંતગર્ત સફાઈ કરી હતી. જેમાં નગરપાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પણ જોડાયા હતા.આ કાર્યકમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, સ્વચ્છતા ચેરમેન જગદીશ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત નગરપાલિકાના નગરસેવકો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.