ઊંઝા સ્વામિનારાયણ મંદિરમાં હરિભકત ભાઈઓ અને બહેનોએ પ્રસાદનો લાભ લઈ ધન્યભાગી થયા

મહેસાણા
મહેસાણા

ઊંઝા સ્વામિનારાયણ મંદિરમા ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ ઉજવાયો. હરિભક્ત ભાઈઓ અને બહેનોએ પ્રસાદનો લાભ લઈ ધન્યભાગી થયા હતા. ઊંઝા સ્વામિનારાયણ નૂતન મંદિર, બ્રાહ્મણ શેરીના સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી અનુપમદાસજી તથા શાસ્ત્રી સ્વામી સુજ્ઞેશદાસજીની પ્રેરણાથી મંદિરના સત્સંગી હરિભક્તોના સહકારથી ભવ્યાતી ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામા આવ્યું હતુ.


જેમાં બિલીયા સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી વ્રજ વિહારી સ્વામી હાજર રહ્યા હતા. આ શાકોત્સવમાં હરિભક્ત ભાઈઓ અને બહેનોએ પ્રસાદનો લાભ લઈ ધન્યભાગી થયા હતા. આવેલા મહેમાનોને પ્રસાદી માટે 200 કિલો રીંગણનુ શાક, 1500 નંગ બાજરીના રોટલા, 400 કિલો શીરો 1300થી વધુ હરિભક્તોએ લાભ લીધો. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે સૌ પ્રથમ લોયા ગામમાં 225 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, એવી લોક વાયકા છે. જેમની સ્મૃતિમાં આજે ઊંઝા ખાતે આયોજન કરવામા આવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.