ઐઠોર ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

મહેસાણા
મહેસાણા

આજરોજ ઔધોગિક તાલીમ સંસ્થા ઐઠોર ખાતે વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જે સમારોહમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઊંઝા APMC ચેરમેન દિનેશભાઈ પટેલ તથા પ્રિન્સિપાલે શુભકામનાઓ પાઠવી હતી.


ઊંઝાના ઐઠોરમાં આવેલા ઔદ્યોગિક તાલીમાર્થીઓને પ્રોત્સાહનરૂપે વધુ માર્કસથી ઉતીર્ણ થયેલ હોય એવા તાલીમાર્થીઓને APMC ઊંઝા દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અલગ અલગ ટ્રેડમાં અભ્યાસ કરવાનો હોય છે. જેમાં આઈ.ટી.આઈ. કરેલ વિદ્યાર્થીઓને પ્રાઇવેટ કંપનીઓમાં નોકરી માટે ઉત્તમ તક મળે છે. તેમજ અલગ અલગ ટ્રેડમાં શું કામ કરવાનું હોય છે. એ તમામ વિગતો વિશે માહિતી આપી હતી. આમ, અલગ અલગ ટ્રેડમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પણ સાથે મળીને કાર્યક્રમ અંતર્ગત માહિતી મેળવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.