વિસનગરમાં ફરસાણની દુકાનો પર ગત વર્ષ કરતાં વેચાણમાં મંદીનો માહોલ
ગુજરાતમાં દશેરાના દિવસે એટલે કે રાવન દહન થાય તે દિવસે લોકો લાખો રૂપિયાના જલેબી-ફાફડા આરોગી જાય છે. એવું લાગે છે કે જેમ આ તો એક પરંપરા જ બની ગઈ છે. આથી નવરાત્રિના નવ દિવસ પછી દશેરાના દિવસ જલેબી સાથે ફાફડા ખાવાની પરંપરા છે. દશેરાના દિવસે ફરસાણની દુકાન બહાર લાંબી લાઈન જોવા મળે છે. જેમાં આજે દશેરાના દિવસે વિસનગરની મીઠાઈ ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબી લેવા માટે લાઈનો લાગી હતી. ગત વર્ષ કરતાં આ વર્ષે વેચાણમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે એવું વેપારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ફાફડા જલેબીનો સ્વાદ વિસનગર વાસીઓએ માણ્યો હતો.
નવરાત્રિના નવ દિવસ સુધી જગત જનની મા જગદંબાની આરાધના અને ગરબા કરી દશમાં દિવસે વિજયા દશમીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દશેરાના દિવસે જલેબી-ફાફડા ખાવાનો ક્રેઝ જોવા મળે છે. જેમાં દશેરાના દિવસે વિસનગરમાં વિવિધ ફરસાણની દુકાનોમાં જલેબી-ફાફડાનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષે જલેબી-ફાફડાના વેચાણમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. ગત વર્ષે કિલો ફાફડાના રૂ. 320થી 360 ભાવ જે આ વર્ષે 400 રૂપિયા જેટલો ભાવ છે. જ્યારે ઘીની જલેબીના ગત વર્ષે 400થી 450 રૂપિયા ભાવ હતો. જે આ વર્ષે 520થી 540 રૂપિયા ભાવ છે.