ઊંઝા તાલુકાના ભુણાવ અને ખટાસણા એપ્રોચ રોડ ઉપર બાવળ અને ઝાડીઓનો જમાવડો
ઊંઝા તાલુકાના ભુણાવ અને ખટાસણા એપ્રોચ રોડ ઉપર બાવળ અને ઝાડી રસ્તા વચ્ચે આવી જતા વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. તંત્ર દ્વારા ક્યારે પગલાં લેવાશે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.
ઊંઝા તાલુકાના ભુણાવ અને ખટાસણા વચ્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી બનાવેલા એપ્રોચ રોડ ઉપર બાવળ તેમજ ઝાડી આવી જવાથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. તેમજ રાત્રિ દરમિયાન અકસ્માત થવાની ભીતિ સર્જાઈ છે. રોડ બનાવવામાં આવ્યો ત્યારથી આજસુધી રોડની સાઈડો સાફ કરવામાં આવી નથી. આ બાબતે તંત્ર કેમ ચુપ છે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ બાબતે ક્યારે સાફ સફાઈ કરવામાં આવશે એતો આવનાર સમય જ બતાવશે. ઉલ્લેખનીય છે કે, ઊંઝા તાલુકામાં ઘણા એવા એપ્રોચ રોડ આવેલા છે જે રોડ ઉપર ખૂબ જ ઝાડી તેમજ બાવળ આવી ગયા છે. તંત્રએ મૌન ધારણ કર્યું છે.