ઊંઝાના વિશોળ ગામમાં ગોળતુલા કાર્યક્રમ યોજાયો

મહેસાણા
મહેસાણા

ઊંઝાના વિશોળ ગામના રામાજી ઠાકોર અને બાબુજી ઠાકોરના આયોજન થી ગોળતુલા કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ પ્રમુખ પ્રદેશ કોંગ્રેસ સમિતિ જગદીશભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, ગરીબ અને પછાત વર્ગમાં આવતા તમામ સમાજો આ સરકારમાં દુઃખી છે.ઊંઝા તાલુકાના વિશોળ ગામમાં પધારેલા તમામ મહેમાનોનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આવેલા મહેમાનોએ પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું. અને ઠાકોર સમાજ શૈક્ષણિક અને આર્થિક રીતે મજબૂત બને એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આવેલા મહેમાનોએ જણાવ્યું હતું કે, આવનાર સમય એ ટેક્નોલોજી તરફ જઈ રહ્યો છે. તો શિક્ષણ જરૂરી છે અને શિક્ષણ હશે. તો આ સમાજમાંથી કોઈ ક્લાસવન અધિકારી બનશે. સમાજમાં ડોક્ટર બનશે. સમાજમાં કોઈ સારી ડિગ્રી મેળવી એન્જીનીયર બનશે. તેમજ સામાજિક ઉત્થાન માટે અંધશ્રદ્ધામાંથી બહાર આવવું પડશે અને શિક્ષણની જ્યોત જગાવવી પડશે. અન્ય સમાજોની સરખામણીમાં ચાલવું પડશે. વધુમાં તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સિટીની સ્પર્ધામાં ચીન ખાતે નિરમા ઠાકોરે 1 કલાક 20 મિનિટમાં 21.0975 કીમી દોડ લગાવી સમગ્ર વિશ્વમાં સમાજનુ નામ રોશન કર્યું છે. જેને લઈને આજે વિશોળ ગામમાં સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નિરમા ઠાકોરને આવેલા તમામ મહેમાનોએ આશીર્વાદ આપ્યા હતા અને આગળ જઈને ખુબ જ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. તેમજ ઠાકોર સમાજમાં પ્રતિષ્ઠા વધે અને જેમ નિરમા ઠાકોરે નામ રોશન કર્યું એમ બીજા પણ બાળકો અનુકરણ કરી આગળ વધે એ હેતુ ઇનામ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.