ઉઝા પંથકમાં બેવડી ઋતુની કારણે : સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો

મહેસાણા
મહેસાણા

ઊંઝા શહેર સહિત પંથકમાં છેલ્લા સપ્તાહથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પંથકમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ડબલ સિઝન અને મરછરોના ઉપદ્રવને કારણે તાવ, શરદી, ખાંસીના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ઊંઝા સિવિલ હોસ્પિટલમાં દૈનિક અંદાજીત ૫૦૦ કેસો નોંધાઇ રહયા છે.

ઊંઝા પંથકમાં વરસાદની સિઝન પુર્ણ થતાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને લઇ બેવડી ઋતુની કારણે શરદી તાવ અને ખાંસી ના કેસોમાં વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર માસમાં ૮૪ વાઇરલ ફીવર અને ૭ જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. જયારે ૧૦ ઓકટોબર સુધી ૬૦ વાયરલ ફીવર અને ૩ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ઊંઝા સિવિલ હોસ્પિટલમાં હાલ દૈનિક ૫૦૦ જેટલી ઓપીડી જૉવા મળી રહી છે. ડૉક્ટરોના મતે હાલમાં ચાલી રહેલ ડબલ સિઝનના કારણે બીમારીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ઊંઝા પંથકમાં બેવડી ઋતુનો અનુભવ થતાં હાલ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં લોકો સારવાર મેળવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.