એસટી બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું; ગટરો ઉભરાવવાથી રોગચાળો ફેલાવવાની સંભાવનાઓ સર્જાઈ

મહેસાણા
મહેસાણા

ઊંઝા એસટી બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગટરો ઉભરાવવાથી રોગચાળો ફેલાવવાની સંભાવનાઓ સર્જાઈ છે. ઊંઝા બસ સ્ટેન્ડમાં એટલી હદે ગંદકી ફેલાઈ છે કે ત્યાંથી નીકળી શકાય નહીં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.ઉંઝા બસ સ્ટેન્ડમાં પારાવાર ગંદકી દૂર ન થતાં રોગચાળો ફાટી નીકળશે તો કોણ જવાબદાર રહેશે. ઊંઝા ગંજબજારમાં વેપાર માટે આવતા વેપારીઓ તથા આજુબાજુના ગામડાઓમાંથી આવતા વિધાર્થીઓ અને મુસાફરોને ઊંઝા બસ સ્ટેન્ડમાં પ્રવેશ કરતા જ ગંદકીમાં ચાલવાનો વારો આવ્યો છે. ઊંઝા બસ સ્ટેન્ડમાં આજુબાજુ ખાણીપીણીના સ્ટોલ, પાર્લર અને બીજી ઘણી દુકાનો આખો દિવસ ધમધમે છે. આ ગંદકી એટલી બધી ફેલાય છે કે ચા પાણી અને નાસ્તાની દુકાન ઉપર ગ્રાહકો મોં દબાવીને નાસ્તો કરવા મજબૂર બન્યા છે.


આ જવાબદારી એસ.ટી નિગમની છે કે નગરપાલિકાની તે વિવાદમાં કોઈ સાફ સફાઈ માટે જવાબદારી લેવા તૈયાર નથી જેના લીધે તમામ લોકો હેરાન થઇ રહ્યા છે. સગર્ભા મહિલાઓને તથા સીનીયર સીટીઝન અને વિકલાંગ વ્યક્તિઓને મુસાફરી દરમિયાન અગવડો ઉભી થઇ રહી છે. આ બાબતે આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને નગરપાલિકા ઉઝા સંકલન કરી સફાઈ કરાવે તેવી લોકમાગ ઉઠી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.