ઊંઝા પંથકમાં ઈયળો (કાતરા) ને લઈ ખેડુતોના ઉભા પાકોને નુકશાન

મહેસાણા
મહેસાણા

ઊંઝા પંથકના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો આ સિઝન ખેતરોમાં વધી રહેલ ઈયળો કાતરા ઈયળોના ઉપદ્રવને લઈ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઈયળો એરંડા સહિતનાં પાકને નુક્સાન પહોંચાડતા પાક નિષ્ફળ જવાની સ્થિતિ સર્જાઈ છે. જેને લઇ મહેરવાડા ગામ સહિત પંથકના ખેડુતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઊંઝા પંથકના ખેતરોમાં આ વર્ષે નવી ઈયળ જોવા મળી છે. કાતરા જેવી લાગતી ઈયળ પાક ને ફોલી ખાય છે. જેમાં એરંડા સહિતનાં પાકોમાં નુકસાન વધું જૉવા મળી રહ્યુ છે. અગાઉ માવઠાને લઇ ખેડુતોના પાકને નુક્સાન થયુ છે. ત્યારે પુષ્કર પ્રમાણમાં ખેતરોમાં જોવા મળતી ઇયળોના ઉપદ્રવને લઈ ખેડુતોના પાકને નુક્સાન થઈ રહ્યું છે. આ અંગે મહેરવાડા ગામના ખેડૂત જીવરામભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહેરવાડા ગામ સહિત ઊંઝા પંથકમાં પુષ્કર પ્રમાણમાં ખેતરોમાં ઈયળો પડી છે જે ઈયળ કરડે તો એલર્જી થાય છે. તેમજ ઈયળોને લઈ ઝાડના પત્તા એરંડાના પત્તા, રાયડો મૂળા પાલક તેમજ ખેડૂતોના માથે નુકસાન છે. જેથી સંબધિત તંત્ર દ્વારા સત્વરે કોઈ પગલાં ભરાય તેવી લોક માંગ ઉઠી છે.


ખેડૂત ગાંડાભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં વાવેલ એરંડાના પાકમાં પુષ્કર પ્રમાણમાં કાતરા ઈયળો પડી હોવાથી એરંડાના ભોંઠા પાંદડા ખાઈ ગયા છે‌ જેને લઈ સુકારો આવી ગયો છે. આ વખતે પાક નિષ્ફળ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.