ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન : એરંડામાં ઈયળો પડી જવાથી ખેડૂતોને હાલાકી

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને આ વર્ષે પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. ઊંઝા વિસ્તારમાં ખેડૂતો પાકમાં વરિયાળી એરંડા, કપાસ, મરચાં જેવા અન્ય ઘણા પાકોનું ઉત્પાદન કરે છે, પરંતુ આ વર્ષે ખેડૂતોને પાકોમાં નુકસાન થયુ છે. અગાઉ પણ કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને પાકમાં નુકસાન થયું હતું. ત્યાર બાદ કપાસ અને એરંડામાં ઈયળો પડી જવાથી નુકસાન થયું છે.


રાજ્યમાં વરસેલા આફતના માવઠાએ શિયાળુ પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેવામાં વાવાઝોડા અને વરસાદની સ્થિતિને લઇ ઊંઝામાં દિવેલાનો પાક જમીનદોસ્ત થયો હતો. ખેડૂતોએ વાવેલો દિવેલાનો પાક તૈયાર થતો હતો તેવામાં કહેર બનીને વરસેલો વરસાદને કારણે દિવેલાના પાકમાં ડાળીઓ પણ તૂટી ગઇ હતી. જેને લઇને પાક નિષ્ફળ જવાની સ્થિતિ પેદા થઇ હતી. વારંવાર કુદરતી આફતો વચ્ચે ખેડૂત ફસાય છે ઉપરાંત સરકાર પણ ખાતર, બિયારણ જેવી ચીજવસ્તુઓમાં ભાવ વધારો કરે ત્યારે હાલમાં ખેડૂતોને ક્યાંકને ક્યાંક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.