વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પર્યાવરણ અને માનવ જીવનને નુકસાન કરતા કોનોકાર્પસનો નિકાલ કરાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આવેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં સરકારના આદેશનુ પાલન કરી પર્યાવરણ તેમજ માનવજીવનને અસર કરતા કોનોકાર્પસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં રહેલ 350 કોનોકાર્પસનો નિકાલ કરવામાં આવ્યો છે. તેની જગ્યાએ બીજા 350 વૃક્ષો તેમજ રોપા રોપવામાં આવ્યા હતા. આમ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ તેમજ માનવ જીવનને અસર કરતા કોનોકાર્પસનો નિકાલ કરવામાં આવ્યો છે.


ગુજરાત રાજ્યમાં વિદેશી પ્રજાતિ કોનોકાર્પસ ઉછેરથી માનવ જીવન અને પર્યાવરણ પર નકારાત્મક અસર અને ગેરફાયદા ધ્યાને આવતા સરકાર દ્વારા કોનોકાર્પસ રોપા ઉછેરવા તેમજ વાવેતર પર પ્રતિબંધ મૂકવા પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોનોકાર્પસની કોઈ અસર ન થાય અને પર્યાવરણ પણ શુદ્ધ રહે તે માટે પરિપત્રને આધારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સૂચનાથી યુનિવર્સિટી કેમ્પસમાં રહેલા 350 જેટલા કોનોકાર્પસનો નિકાલ કરવામાં આવ્યો છે. સાથે સાથે પર્યાવરણનુ રક્ષણ અને શુદ્ધ હવા મળી રહે તે માટે કોનોકાર્પસની જગ્યાએ બીજા 350 રોપા તેમજ વૃક્ષો વાવવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.